Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
જામનગરમાંથી દેહ-વિક્રય નો ગૃહ ઉધોગ પકડાયો.
Posted by on September 13, 2012
જામનગરના દિ.પ્લોટ શેરી નં.50માં આવેલા એક મકાનમાં બહારથી પુરૂષોને બોલાવીને દેહ વિક્રયનો વ્યવસાય ચાલતો હોવાની થોડા સમય પહેલા પોલીસમાં એક રજુઆત કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. દરમ્યાનમાં ગઇકાલે પોલીસે દિ.પ્લોટ 50, સુર્યપુષ્પ એપાર્ટમેન્ટવાળી ગલીમાં દરોડો પાડયો હતો જેમાં અહી રહેતી મિનાબેન પ્રવિણભાઇ ફલીયા (ઉ.વ.પ0) નામની ભાનુશાળી મહિલા બહારથી પુરૂષ ગ્રાહકને બોલાવીને શરીર સુખ માણવા પૈસા મેળવીને દેહવિક્રયનો વ્યવસાય ચલાવતા પકડાય ગઇ હતી.આ અંગે સીટી-એ ડીવી.ના પ્રો. પીએસઆઇ જે.એન.સોલંકી દ્વારા મીનાબેન ફલીયા સામે ધ ઇમ્પોરલ ટ્રાફિક (પ્રિવેશન) એકટ 3-4-5 મુજબ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે મોકલેલ ડમી ગ્રાહક અને તેની પાસે થી ૧૫૦૦ રૂપિયા ની નોટો કબજે કરી હતી.સાથે ઘર માંથી ઘણા બધા કોન્ડોમ ના પેકેટ પણ મળી આવ્યા હતા.આ મહિલા દ્વારા છેલ્લા ૨૦ વરસ થી દેહ વિક્રયનો ધંધો કરવા માં આવી રહ્યો હતો અને હાલ તેની પુત્રી પણ આ સેવા નો નો લાભ આપી રહી છે જે દરોડા દરમ્યાન ઝડપાય ગઈ હતી.
પ્રદર્શન ગ્રાઉન્ડ અને જૂના રેલવે સ્ટેશન પાસેની વસાહતો હટાવતુ તંત્ર
Posted by on મે 10, 2012
પ્રદર્શન ગ્રાઉન્ડ અને જુના રેલવે સ્ટેશન પાસે રેલવેની જમીનમાં ઉભી કરવામાં આવેલી ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ હટાવવા માટે જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં ઉભા કરાયેલા ૫૦ જેટલાં ઝુંપડાઓ હટાવાયા હતાં.આ વસાહતો અસામાજિક પ્રવૃતિઓનાં અડ્ડાઓ બની ગયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર દ્વારા આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અસામાજિક પ્રવૃતિઓનાં અડ્ડાઅને અસામાજિકોનું ઉત્પતિ સ્થાન બની ગયેલી આવી વસાહતો માંથી ગેંગરેપની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ પણ પકડાયા હતા તેમજ આ વસાહતો માં બાવરી લોકો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ વેચવા ની પ્રવૃત્તિ પણ થતી હતી આમ અનેક ફરિયાદો બાદ આજે તંત્રે કામગીરી કરી હતી.
જામનગર ના તબીબોએ કર્યું સરકારનું બારમું
Posted by on April 3, 2012
જામનગર સહિત રાજ્યભરના મેડીકલ અને ડેન્ટલ હોસ્પિટલના તબીબી અધ્યાપકો પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતા છેલ્લા ૧૧ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે જી.જી. હોસ્પિટલમાં આરોગ્ય સેવાને ગંભીર અસર પહોંચી છે. આજરોજ હડતાલના ૧૨ દિવસે તબીબી અધ્યાપકોએ મેડીકલ કોલેજના પટાંગણમાં સરકારના બારમાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો,અને આટલું જ નહીં સરકારના એસ્મા લગાડવાના પરપિત્રની હોળી પણ કરી હતી.





